- વ્યાજે રૂપિયા આપનારા પાસે ધી ગુજરાત મની લેન્ડર્સ એક્ટ-૨૦૧૧ નીચે લાયસન્સ ના હોય તો તે ગુનો છે. આવા રૂપિયા કે વ્યાજ કાયદેસર વસુલ કરી શકાતા નથી.
- ધી ગુજરાત મની લેન્ડર્સ એક્ટ-૨૦૧૧ લાયસન્સ હોય તો પણ અન-સિકયોર્ડ લોનમાં વધુમાં વધુ વાર્ષિક ૧૫% વ્યાજ અને સિકયોર્ડ લોનમાંવધુમાં વધુ વાર્ષિક ૧૨% વ્યાજ વસુલી શકાય. તેના કરતાં વધારે વ્યાજની વસુલાત ગુનો છે.(બેન્કિગ લાયસન્સ ધરાવતી બેંકો, સહકારી બેંક અને મંડળીઓ તેમજ નોન-બેંકીગ ફાઈનાન્સ કંપનીઓને આ જોગવાઈ લાગુ પડતી નથી.)
- વ્યાજે આપેલા રૂપિયાની વસુલાત માટે વ્યાજે રૂપિયા લેનારને ડરાવવા, ધમકાવવા,ગાળો બોલવી, હેરાન કરવા, પીછો કરવો, વારંવાર ઘરે કે ધંધાના સ્થળે જવું ગુનો છે.